અખાના છપ્પા/દશવિધજ્ઞાની અંગ

વિકિસૂક્તિમાંથી
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← જ્ઞાનદગ્ધ અંગ અખાના છપ્પા
દશવિધજ્ઞાની અંગ
અખો
વિભ્રમ અંગ →


શાવિધ જ્ઞાની લક્ષણ લક્ષ, તેનાં કહું આચરણો મુખ્ય;
નામ એક પણ લક્ષણ જુજવાં, પ્ર્થ્વી એક ને ભિન્ન ભિન્ન કુવા;
કૂપ કૂપ જુજવા નિઃસ્વાદ, એમાં આખા માના વણિયા વાદ. ૪૮૯

શુષ્ક જ્ઞાની કહાવ કેટલા, જ્ઞાનદગ્ધ જોતાં એકલા;
કો વિતંડા કહાવે નારા, જ્ઞાનખળ કેટલાએક ખરા;
નિંદક જ્ઞાની નીપજે ઘણા, કો ભ્ર્મજ્ઞાની આખા મન તણા. ૪૯૦

ઠજ્ઞાની ઘણા મન વિષે, શઠજ્ઞાની સૂધું નવ લખે,
શૂન્યવાદી તે નવમો જાણ્ય, શુદ્ધજ્ઞાની દશમો પરમાણ;
એ દશે જ્ઞાનીના નામ કહ્યાં, હવે લક્ષણ કહું આખા જે રહ્યાં. ૪૯૧

શુષ્ક જ્ઞાની નિરસ હોય હ્રદે, વાણી જાની લુખું વદે;
હિસે નહીં તે સર્વાવાસ, ચાઇટના જાણી નોય ઉલ્હાસ;
એ લક્ષણ શુષ્ક જ્ઞાની તણું, જ્ઞાનદગ્ધ આખા હવે ભાણું. ૪૯૨

જ્ઞાનદગ્ધ હોયે અધબળ્યો, સંગ સમાગમે રહે તે મળ્યો;
બાહ્ય કર્મે ઝાલાણી મત્ય, માંહે આપોપું હંતા સત્ય;
અનુભવ અંકૂર ના ફૂટે ત્યાંહાં, જેમાં આખા દગ્ધ છે સ્પૃહા. ૪૯૩
 
વિટંડ નર હોએ તે અસો, પોતાને નિશ્ચય નહીં કશો;
વાદ કર્યા ઉપર બહુ હામ, લક્ષ વિના વિદ્યાની મામ;
ક્લેશ કરતાં કાપે કાળ, આખે વિતંડની કાઢી ભાળ. ૪૯૪
 
જ્ઞાનખળને ખળતાનો થાપ. કુટિલ જુક્તિ ઉપજે બહુ આપ;
જ્ઞાનવચનને આગળ કરે, ઓથે રહી વક્રમ આચારે;
વંદે ખરો પણ ખળતા કહિયે સોય, આખા તે સરખો આંતર્બાહ્ય. ૪૯૫

વે નિંદક જ્ઞાની કહિયે સોય, પહેલું દોષનું દર્શના હોય;
સંત સમાગમમાં તે ફરે, લાંછન જોઈને હૃદિયે ધરે;
આત્મજ્ઞાનીતણી કરે વાત, પણ નિંદકની આખા એવી ઘાત. ૪૯૬

બ્રહ્મ જ્ઞાનીને અંતરા ભર્મ, હૃદે વસ્યું પણ નાસમજે મર્મ;
આંતર અન્ય ઉપાસન કરે, કરતાં હરતા આપ ઉચ્ચરે;
આખા તે ના સમજે સાંગ ઉપાંગ, ભ્રમે ના તળે વાસના લિંગ. ૪૯૭

ઠજ્ઞાનીની સિદ્ધીને વસ્તુલખે, કહે બ્રહ્મ જ્ઞાન નોહે સિદ્ધિ પખે;
કહે ચૈતન્યે ભરયું બ્રહ્માંડ, સિદ્ધિ વિના પણ કાચો પિંડ;
અખા લક્ષ હઠ જ્ઞાની તણો, સિદ્ધિ ત્યામ્ પૂર્ણ બ્રહ્મ ગણ્યો. ૪૯૮

ઠ જ્ઞાની તે ગ્રંથ બહુ સુણે, બહુ વાંચે બહુ પાઠે ભણે;
ગ્રંથ પ્રતીતે માને વાત, સમ્યક્ ભાસે નહીંસાક્ષાત,
શઠપણે ન ટળે ચકચ્ંધ્ય, અખા અંતરથી ન ટલે રુંધ્ય. ૪૯૯

શૂન્યવાદીને શૂન્ય, વિશ્વ નહીં નહીં પાપ ને પુન્ય;
ઉત્પત્તિ નહીં, નહીં સમાસ, સ્વપર નહીં, નહિ સ્વામી દાસ;
એમ વર્તે શૂન્યવાદી ખરો, પણ અખા ન ચાલે શૂન્ય ઉફરો. ૫૦૦

શુદ્ધ જ્ઞાની તે રૂપ અરૂપ, મીંહિ નિધ અશે છે તદ્રૂપ;
સર્વ સહિત છે સર્વાતીત, જે પોષક આઘે ઊદ્ગીત;
અખા અનિર્વચનીય તે આપ, લક્ષ લાગે તે લહે અમાપ. ૫૦૧

શ પ્રકારના જ્ઞાની લખ્યા, પણ નવે તે દશમા વિણ મથ્યા;
નવેનો લક્ષ ત્યારે શુદ્ધ થાય, જ્યારે અનુભવ દશમા ઘેર જાય;
અખા જે છે સદા અવાચ્ય, જો સમજે તો સમજી રાખ્ય. ૫૦૨

અખાના છપ્પા