ઓખાહરણ/કડવું-૧૦
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← કડવું-૯ | ઓખાહરણ કડવું-૧૦ પ્રેમાનંદ |
કડવું-૧૧ → |
રાગ: મારૂ |
પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ;
કથા ગ્રંથ આરંભે જેહ, પ્રથમ ગણપતિ સમરે તેહ. (૧)
સૌભાગ્યવંતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે;
સોની સમરે ઘડતાં ઘાટ, પંથી સમરે જાતાં વાટ. (૨)
પંચવદનના દહેરામાંય , પહેલી પૂજા ગણપતિની થાય;
એ વિના મુજને પૂજે તો, સર્વે મિથ્યા થાય. (૩)
ઉથલો—
શાને કાજે રુવે પાર્વતી, શાને લોચન ચોળે;
જેને ઘેર વિવાહવાજન હશે. ત્યાં બસશે ઘીને ગોળે રે. (૪)