ઓખાહરણ/કડવું-૨૧

વિકિસૂક્તિમાંથી
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← કડવું-૨૦ ઓખાહરણ
કડવું-૨૧
પ્રેમાનંદ
કડવું-૨૨ →
રાગ:આશાવરી


ચિત્રલેખા એણીપેર બોલી, સાંભળ સહિયર વાત;
તારે કાજે નહિ પરણાવે, બાણ તારો તાત. (૧)

તારે કાજે જો પરણાવે, છેદાયે રાયના હાથ;
તારે કાજે નહિ પરણાવે, પ્રધાન મારો તાત. (૨)

તાત કેરી આજ્ઞા લઈ, આવોને ઔખાય;
વચન સાંભળ ઓખા વળતી, ત્યાંથી ચાલી જાય. (૩)

તાત આપો આજ્ઞા તો, શંભુ પૂજવા જાઉં;
બાણાસુર પ્રત્યે પુત્રીએ, એવું વચન ઉચ્ચાર્યું. (૪)

ઘેલી પુત્રી એમ ન કહીએ, બેસી રહો મંદિરમાંય;
ઘર આવે મહાદેવજી, પૂજીને લાગો પાય. (૫)

વચન સાંભળી ઓખા ચાલ્યાં, હોતે તેણીવાર:
ચિત્રલેખા સહિયર મહારી, ઉપાય કરવો સાર. (૬)