This article આ લેખ અનાથ છે, એટલે કે વિકિપીડિયા પરના અન્ય કોઈ પણ લેખ પર આ લેખની આંતરવિકી કડી નથી. તો આપ આ લેખ જોડે સંબંધિત અન્ય લેખ પર ઉચિત જગ્યા એ આ લેખની કડી મૂકી શકો છો.(ફેબ્રુઆરી ૨૦૧૬)
નામસ્મરણ એટલે કોઇપણ ઇષ્ટનું નામ જપવું તે, આને જપ પણ કહેવામાં આવે છે.
મનને કશું સ્પર્શે નહિ એ માટે સાધન જોઈએ; અને આવું સરળ સાધન એ ભગવાનનું નામસ્મરણ છે. સંસાર વ્યવહારમાં આપણે એટલા બધાં અટવાયેલા હોઈએ છીએ કે શાંતિ કે કશું હોતું નથી. નામસ્મરણથી સંસારના બધા વિઘ્નો, અશાંતિ વગેરે ભૂલાય છે.
ભગવાનનું નામ એટલે એ તો જીવતીજાગતી ધનલક્ષ્મી જેવું છે. નામ લીધે રાખો તો શાંતિ પ્રસન્નતા રહેશે, અટવાઈ નહિ જવાય , મૂંઝાઈ નહિ જવાય; મનને પ્રસન્ન રાખ્યા કરશે. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોયડા આવ્યા કરવાના.
પ્રાર્થના સ્મરણ કરશો તો પેલા કોયડાઓમાં ગૂંચવાઇ જતું મન અટકી જશે. આપણું મન એક કોયડામાં ગૂંચવાયું હોય અને ઉકેલ ન મળે ત્યારે આપણે મનને બીજા કશામાં રોકવું; તો પહેલાંની મુશ્કેલી ઓછી થશે. આમ કરવાથી વ્યાધિ , આધિ, ચિંતા , ફિકર વગેરેમાં મોટામાં મોટી હળવાશ પ્રકટશે. આ તો માનસશાસ્ત્રનો સિધ્ધાંત છે. (માટે કરી જુઓ તો ખબર પડશે.)[૧]