શ્રેણી:સુપ્રભાતમ

વિકિસૂક્તિમાંથી

[ફેરફાર કરો]

  • આશા અમર છે, આરાધના કરેલી કદી નિષ્ફળ જતી નથી.

[ફેરફાર કરો]

  • બીજાની સાથે સરખામણી કરીને દુઃખી થવાનુ કોઈ કારણ નથી. તમે તમારા કાર્યમાં ઓતપ્રોત થઈને આગળ વધો એમાં જ તમારૂ ગૌરવ છે.

જીવન માણસ ને એક વાર જ જીવવાનો મોકો આવે છે માટે તે બીજાને દેખી દુ:ખી થવાને બદલે આપણને ભગવાને જેટલુ આપ્યુ તેમં ખુશ રહેવુ જોઇએ.

[ફેરફાર કરો]

  • કોઇની ઇર્ષ્યા કરીને તમે તમારી નબળાઇને છતી કરો છો. બીજાની સફળતા તમે પચાવી ન શકતાં ઇર્ષ્યા કરીને મન મનાવો છો.
  • કોઈના માટે પગથિયું ન બનીએ તો કંઈ નહી પરંતુ ખાડો તો કદાપિ ન બનીએ. તેમાં જ આપણી માણસાઈ છે.

[ફેરફાર કરો]

  • ગઇકાલના અપમાનને ભલી જઈને પોતાના કામમાં પરોવાઈ જાઓ, સફળતાને તમારીજ તલાશ છે. ઈર્ષ્યાળુઓને એમનુ કામ કરવા દો.

[ફેરફાર કરો]

  • તમે તમારી રીતે મજબૂત હોવ તો બીજા કોઇના સ્થાપેલા નિયમને અનુસરવાની જરૂર નથી. તમે તમારી જ મહેનતથી આગળ વધી શકો છો.

[ફેરફાર કરો]

  • નસીબથી વધારે નસીબથી વહેલુ ક્યારેય કોઈને મળતું નથી, કર્મ કરવું દરેકની નૈતિક ફરજ છે.

[ફેરફાર કરો]

  • પૌરાણિક ગ્રંથોમાં માનવજાતના ઉમદા વિચારો સંગ્રહાયેલા છે જે કદી વાસી થતા નથી અને એને કદી કાટ ચડતો નથી.

[ફેરફાર કરો]

  • સફળતા માટે જરૂરી છે કે સમયનું શ્રેષ્ઠ આયોજન કરીને નિશ્ર્ચિત દિશામાં ધ્યાન એકત્રિત કરવામાં આવે તો ધારેલી સફળતા મળે જ છે.
  • સમયનું મહત્વ ન સમજનારા ક્યાં ફેંકાઈ જાય છે તેની ખબર પણ પડતી નથી. સમયને સાચવીને ચાલનારો ક્યારે પાછો પડતો નથી.

[ફેરફાર કરો]

  • મનુષ્યો માટે અમ્રુત દુર્લભ છે, દેવોને માટે જળ દુર્લભ છે, પિત્રુઓને પુત્ર દુર્લભ છે અને ઈન્દ્રને છાશ દુર્લભ છે .

આ શ્રેણીમાં હાલમાં કોઇ પાનાં કે મીડિયા નથી.