અખેગીતા/કડવું ૨૬ મું - શૂન્યવાદીનો વિતંડાવાદ

વિકિસૂક્તિમાંથી
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
←  કડવું ૨૫ મું - પરબ્રહ્મનો ભેદ અખેગીતા
કડવું ૨૬ મું - શૂન્યવાદીનો વિતંડાવાદ
અખો
કડવું ૨૭ મું - જ્ઞાનીના અનુભવનો લક્ષ →


રાગ ધન્યાશ્રી

હવે કહું અધમ એ શૂન્યવાદીજી, જેને શૂન્યની શુધ્ધ ન લાધીજી;

પ્રપંચ ન ટળ્યો નિંદા વાધીજી, તેણે મિથ્યા બુધ્ધિ સાધીજી. ૧
પૂર્વછાયા

તે પ્રપંચને મિથ્યા કહે, પણ હૃદે જગત સાચું સહી;
અધમ નામ તે માટે એહનું, જે શૂન્યવાદીએ પૂરા નહિ. ૧

તે કરતવ્યથી નવ ઓસરે, ઉત્તમ તજે ને મધ્યમ ભજે;
દેહઆસક્ત રહે સદા, સુખદુઃખ પામે જયવિજે. ૨

જાગતે જગતના દોષ દેખે, પોતાપ્રતે તે વસે;
અજ્ઞાનને તે જ્ઞાન માને, ઈંદ્રિના સુખને ધસે. ૩

ક્યારે કહે એ આતમા, ક્યારે કહે એ શૂન્ય છે;
ક્યારે એ જગત સાચું, ક્યારે કહે એ મુન્ય છે. ૪

વાદ કરે એ તે સહુજ સાથે, નિંદે પણ લક્ષ નવ લહે;
બ્રહ્મવિદ્યાનો ભેદ ન જાણે,વેદ વિટલ તેહને કહે. ૫

નાસ્તિ૧૦ કહે નારાયણને, પણ પ્રપંચ ૧૧ ન છુટે મનથી;
સંસારનાં સુખ અતિ વલ્લભ૧૨, મન ગયું પાપપુન્યથી. ૬

નમે નહિ મહાપુરૂષને, દોષ દીએ છે અણછતાં૧૩;
અજ્ઞાનને આગળ કરિને, પ્રબોધે પોતે હુંતા૧૪. ૭

આચાર્ય થઇને અન્યને, વાત કહે તે નાસ્ત્યની૧૫;
ભાવભરોસો નહીં જ દેહનો, જુગત ન સમઝે આસ્ત્યની૧૬. ૮

અધમ શૂન્યવાદીનાં એજ લક્ષણ, તે શૂન્યવાદી પૂરા નહી;
ખરા શૂન્યવાદી તેહને કહીએ, વસ્તુવિશ્વ બે ન કરે સહી૧૭. ૯

કહે અખો સહુકો સુણો, એ સમજે સુખ બહુ જંતને;

સમી સમજણ તેહ સમજે, જે સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦

________________________________________

૧ પાછળ હઠે. ૨ સેવે. ૩ શરીરમાં અતિ પ્રીતિવાળા. ૪ જય ને પરાજયમાં. ૫ યુક્તિથી. ૬ પોતાનામાં. ૭ દોડે. ૮ ન કહી શકાય એવું. ૯ ઠગ. ૧૦ નથી. ૧૧ જગત. ૧૨ વહાલાં. ૧૩ ન હોય એવા. ૧૪ હુંપણા વડે. ૧૫ નાસ્તિકની. ૧૭ સત્ય.


(પૂર્ણ)