અખેગીતા/કડવું ૨૭ મું - જ્ઞાનીના અનુભવનો લક્ષ

વિકિસૂક્તિમાંથી
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૨૬ મું - શૂન્યવાદીનો વિતંડાવાદ અખેગીતા
કડવું ૨૭ મું - જ્ઞાનીના અનુભવનો લક્ષ
અખો
કડવું ૨૮ મું - વિદેહીનાં ચિન્હ →


રાગ ધન્યાશ્રી

વળી કહું આઘો અનુભવ જેહજી, જેજે સમજ્યા પુરૂષવિદેહજી;

કોઇક જાણે મર્મ તો એહજી, જે જઇ નીસરે શૂન્યછેહજી.
પૂર્વછાયા>

શૂન્ય મધ્યે છે વાટ એહવી, પરમાતમ પદ સદા;
અગમ અગાધ મત મહા મનોહર, જ્યાં ન મળે દ્વૈતની આપદા. ૧

તેહને જગત નહીં તો શૂન્ય શું કહે, ગુણદોષ તે કોના ગણે;
પરમાર્થ આવ્યું પ્રીછમાં, તો આપવિના અન્ય શું ભણે? ૨

જેમ રતાંબરને સત્ય ન મલે, તો દિવસ પરઠે શાવડે;
એ તો કાલ માપે ભૂતલવાસી, પણ સૂર્યને કાંઇ નવ નડે. ૩

તેમ વિશ્વ દેખી મિથ્યા કહે છે, આશ જાણીને જગતની;
નિકાલ તેહને નથી જડતો, તેણે પેર્ય બાંધી મુગતની. ૪

ભાઇ અણલિંગીને આપ ન મળે, તો વ્યાપક પરઠેકેહતણો૮;
અણચવ્યું૯ આપ અનાદિ વર્જીત૧૦, એવો લક્ષ આધો ઘણો. ૫

શૂન્યવાદી તે શરીર દેખે, પણ કૃત્ય૧૧ ન માને દેહનું;
અંધ લક્ષ આઘો ન ચાલે, ન સમજે કારણ છે હતું. ૬

જેમ કાઇ મથતાં ઉષ્ણતા, પ્રથમ પ્રગટે માંહેથી;
પછે પ્રગટે ધૂમ્ર તેહનું, મૂલ અગ્નિને દાહથી. ૭

ઉષ્ણતા તેહજ અગ્નિ જાણીએ, પણ આઘો આદર નવ લણો;
તેમ જગત જગતનાં કૃત્ય દીઠાં, પણ આતમા અજાણ્યો રહ્યો. ૮

શૂન્યવાદી તે એમ જાણે, દેહ સૂધી તેહની દૂષ્ટ૧૨ છે;
પણ પરમારથમાં પોંચ ન હોય, જેહની પુઠે પુષ્ટ૧૩ છે. ૯

કહે અખો જે લક્ષણ સમજે, તેહજ પામે અંતને;

પરપંચ-પાર૧૪ તે રહ્યો બોલે, કલા મોટી સંતને. ૧૦

________________________________________

૧ છેડે. ૨ જાણવામાં. ૩ આકાશમાં રહેનારને. ૪ નક્કી કરે. ૫ પૃથ્વીપર રહેનારા. ૬ રીત. ૭ મુક્તની. ૮ કોનો. ૯ નહિ અનુભવેલું ૧૦ સર્વથી રહિત. ૧૧ કર્મ. ૧૨ દ્દષ્ટિ-જ્ઞાન. ૧૩ પોષણ પામેલ. ૧૪ જગતની બહાર.


(પૂર્ણ)