અખેગીતા/કડવું ૩૨ મું - મુમુક્ષુને સત્સંગની તૃષ્ણા

વિકિસૂક્તિમાંથી
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૩૧ મું- શાસ્ત્રોના મતો અખેગીતા
કડવું ૩૨ મું - મુમુક્ષુને સત્સંગની તૃષ્ણા
અખો
કડવું ૩૩ મું - સત્સંગનું માહાત્મ્ય અને દુર્જનનું દુર્ભાગ્ય →


રાગ ધન્યાશ્રી

સંતનો અતિમોટો મહિમાયજી, સીજે કારજ સ્ત્રતપસાયજી;

સંતના જશને ગીતા ગાયજી, સાધુ સેવતાં કારજ થાયજી. ૧
પૂર્વછાયા

કારજ થાય ને ગહેન પલાયે, જ્ઞાન યથાર્થ ઉપજે;
નિર્મલ નેત્ર તે કરે હરિજન, જો ભાવે સંતજનને ભજે. ૧

ભાઇ ભાવ ન ઉપજે જ્યાંહાં લગે, તૃષાવંતને જેમ તોયનો;
ભાવવિના પુંથલી-તન-જેવો, કહાબે નહી તે કોયનો. ૨

ભાઇ રતિવિના રામ નવ મળે, ખરી કીધા વિના ખેપ.
જેમ પિપાસા જાયે પાન કીધે, શું હોય કીધે જળ-લેપ૧૦. ૩

ભાઇ આદરવિણ૧૧ આવે નહીં, સ્વેં૧૨ આત્માનું જ્ઞાન;
સંતને સેવી કામ સાધો, સુખે પામો નિજધામ૧૩. ૪

સંત-સંગ કીધાવિના, જેહવો વનનો હોય પશુ;
ઉપજે ખપે તે વનનો વનમાં, તેહને વસ્તીનું નહિ સુખ કશું. ૫

સંત-સંગે સર્વ સમજે, પશુ ટળી થાય પાત્ર;
સંત કૃપાદૃષ્ટિ કર તો, નવપલ્લવ થાય ગાત્ર. ૬

કામ ક્રોધ લોભ મોહ તાપે, બળી રહ્યું જે મન;
તે જીવને ટાઢો થવાને, સંત તે પરજન્ય૧૪. ૭

મમતા ઘાણીએ જોતર્યા, જીવ ચઢ્યા કાળને હાથ;
તેહને સંત કૃપાદૃષ્ટિ કરીને, કાપી મૂકે નાથ. ૮

જેમ કેસરીકેરા૧૫ ગંધથી, ભાઇ કરી૧૬ પલાયે કોડ૧૭;
તેમ સંતકેરા શબ્દ સુણતાં, બંધન જાય બહુ મોડ૧૮. ૯

કહે અખો એ ઠામ મહોટો, ઠરવાનો છે જંતને;

ઠરી જીવ ત્યારે ઠામ બેસે, જ્યારે સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦

________________________________________

૧ સિધ્ધ થાય.૨ મહાત્માની કૃપાથી. ૩ ઘેન. ૪ તરસ્યાને. ૫ પાણીનો. ૬ વેશ્યાના છોકરા જેવો. ૭ પ્રીતિવિના. ૮ પ્રયત્ન. ૯ તરસ. ૧૦ પાણીને શરીરે ચોપડવું. ૧૧ સત્કાર વિના. ૧૨ પોતાના. ૧૩ પોતાનું સ્વરૂપ. ૧૪ વરસાદ. ૧૫ સિંહના. ૧૬ હાથી. ૧૭ કરોડ. ૧૮ નાશ પામીને


(પૂર્ણ)