અખેગીતા/કડવું ૩૩ મું - સત્સંગનું માહાત્મ્ય અને દુર્જનનું દુર્ભાગ્ય

વિકિસૂક્તિમાંથી
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૩૨ મું - મુમુક્ષુને સત્સંગની તૃષ્ણા અખેગીતા
કડવું ૩૩ મું - સત્સંગનું માહાત્મ્ય અને દુર્જનનું દુર્ભાગ્ય
અખો
કડવું ૩૪ મું - સત્સંગની આર્તિ અને સંતના ગુણ →


રાગ ધન્યાશ્રી

સંત સંગ કીજે વળી વળી જનજી, અનુભવ વાધેઆધો દનદનજી;

$વી ઉપરથી ઉતરે મનજી, હરિશું ટળશે ભિન્નાભિન્નજી. ૧
પૂર્વછાયા

ભિન્ન ટળે વસ્તુ મળે, મોટો મહિમા હરિજનનો;
ચૈતન્યસાગરમાંહે ભેળે, અધ્યાસ ટળે એ તનનો. ૧

શિભે જીવિતવ્ય સંતજનકેરૂં, ભવમાંહે તે અત્ય;
સુખદાય્ક તેહને હોય સહુકો, જેહને સંત સાથે રત્ય. ૨

આપસરીખો કરી ભૂકે, એહવી સંતની પ્રીત,
જેમ વહેરો ન કરે વરસતાં, એવી છે ધનની રીત. ૩

સિંચે સરખા સહુજને, તેણે ફળે ભાર અઢાર;
હરિ હરિ તે કરી મૂકે, એહવી સંત-સંગત સાર. ૪

સુંકે જવાસો તેણી રતે૧૦, તો મેઘનો શો વાંક;
પરજન્ય પાયે ઘણું, પણ પી ન શકે એ ટાંક૧૧. ૫

તેમ અસંત સંત-સંગત કરે, પણ લાગે નહિ તેહને સંગ;
મેળ૧૨ ન દે એ માયા મધ્યથી, જેમ જેમ થાએ ભંગ૧૩. ૬

જેમ તેલ કુસુમે કરી૧૪ વાસિયે૧૫, તેણે સઘળે તે લાગે વાસ;
તે મધ્ય આવે કાંકરી, તેને ન આવે આભાસ. ૭

જેમ સલિલ૧૬-મધ્યે શિલા રહે, પણ અંતર ન ટળે આગ્ય૧૭;
તો નીર તેહને શું કરે, જો ભેદવા નહીં જાગ્ય૧૮.

જેમ ચંદનને ગંધે કરી, થાએ ચંદન આક૧૯ પલાશ૨૦;
પણ ગાંઠ હોયે રુદે વાંસને, તેહને લાગે નહિ વાસ. ૯

કહે અખો હરિ-રુપા હોએ, તો સમું પડે તે જંતને;

દોષ-દરશન નવ હોએ, જે સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦

________________________________________

૧ દિવસે દિવસે. ૨ જુદાપણું. ૩ ભ્રાંતિ. ૪ જીવન. ૫ અતિ. ૬ પ્રીતિ. ૭ ભેદ. ૮ વરસાદની. ૯ છ મણ છત્રીસ શેર ને ૨૬ ૨/૫ રૂપીયાભાર. ૧૦ ઋતુમાં. ૧૧ પૈસાભાર. ૧૨ એકરૂપ થવું. ૧૩ બેદ. ૧૪ ફૂલવડે. ૧૫ ગંધ બેસાડીએ. ૧૬ પાણીમાં. ૧૭ અગ્નિ. ૧૮ જગ્યા. ૧૯ આકડો. ૨૦ પલાશ.


(પૂર્ણ)