ગાંધીજી
દેખાવ
(મહાત્મા ગાંધી થી અહીં વાળેલું)
| મોહનદાસ કરમચંદ ગાંધી | |
|---|---|
|
"રાષ્ટ્રપિતા" —મહાત્મા ગાંધી | |
| જન્મની વિગત |
૨ ઓક્ટોબર ૧૮૬૯ ભાદરવા વદ બારસ, વિ.સં ૧૯૨૫ પોરબંદર, ગુજરાત, ભારત |
| મૃત્યુની વિગત |
૩૦ જાન્યુઆરી,૧૯૪૮ નવી દિલ્હી, ભારત |
| મૃત્યુનું કારણ | બંદુક વડે હત્યા |
| રહેઠાણ | ભારત તેમજ દ.આફ્રિકા |
| રાષ્ટ્રીયતા | ભારતીય |
| હુલામણું નામ |
દ.આફ્રિકામાં-ભાઈ ભારત આવ્યા બાદ-બાપુ |
| અભ્યાસ | કાયદાની ઉપાધી |
| વ્યવસાય | વકીલાત,સમાજસેવા |
| વતન | પોરબંદર |
| ખિતાબ | "રાષ્ટ્રપિતા" |
| ધર્મ | હિંદુ |
| જીવનસાથી | કસ્તુરબા |
| સંતાન |
હરીલાલ-મણીલાલ રામદાસ-દેવદાસ |
| માતા-પિતા | પૂતળીબાઇ-કરમચંદ ગાંધી |
|
નોંધ ગાંધીજીની આત્મકથા સત્યનાં પ્રયોગો | |
મોહનદાસ કરમચંદ ગાંધી અથવા ગાંધીજી એ ભારતના રાષ્ટ્રપિતા છે. જેમનો જન્મ ગુજરાતમાં પોરબંદર ખાતે થયો હતો. અહિંસાત્મક આંદોલન વડે સમાજને એક નવી જ દિશા પૂરી પાડી હતી. ભારતની સ્વાતંત્રતા ચળવળમાં મુખ્ય ભૂમિકા અદા કરી હતી.
સૂક્તિઓ
[ફેરફાર કરો]મહાત્મા ગાંધીજી ના અગિયાર જીવન મંત્રો
[ફેરફાર કરો]- સત્ય: હંમેશા સત્ય વાણી-વર્તન રાખવું.
- અહિંસા: કોઈને જરા પણ દુઃખ ન આપવું.
- ચોરી ન કરવી: કોઈ કામ જૂઠુ ન કરવું.
- અપરિગ્રહ: વગર જોઈતું સંઘરવું નહીં.
- બ્રહ્મચર્ય: મર્યાદાઓ-સિદ્ધાંતો પાળી માનસિક બ્રહ્મચર્ય પાળવું.
- સ્વાવલંબન: પોતાનાં બધાં કામ જાતે કરવા, શ્રમનિષ્ઠ બનવું.
- અસ્પૃશ્યતા: જ્ઞાતિ-જાતિના, માણસ માણસ વચ્ચેના ભેદભાવમાં માનવું નહીં.
- અભય: નીડર રહેવું, નીડર બનવું.
- સ્વદેશી: દેશમાં બનતી વસ્તુઓ વાપરવી.
- ત્યાગ: આસ્વાદ એક આગવું ગાંધીવ્રત છે. સ્વાદની ઘેલછા છોડીને સાદું જીવન જીવવું.
- સર્વધર્મ સમાનતા: જગતના બધા જ ધર્મો સમાન ગણવા અને બધા જ ધર્મને સન્માન આપવું.